આધ્યાત્મિક યાત્રા ત્યારે વધુ ઊંડી બને છે જ્યારે માણસ અંદર વળે છે અને ગુરુના શરણમાં જાય છે.
તેમની સ્મૃતિનો માત્ર એક ક્ષણ પણ શાંતિ, સ્પષ્ટતા અને આંતરિક ઉન્નતિ આપે છે.
આ સત્સંગ કૃપાના પરિવર્તનકારી બળ પર ચિંતન કરાવે છે — જ્યાં પ્રતિક્રિયાઓ નરમ પડે છે, ભાર હળવા બને છે અને જીવન પોતે જ મુક્તિનો માર્ગ બની જાય છે — પૂજ્ય ગુરુદેવશ્રીના જ્ઞાનથી પ્રેરિત.
અમારા વિષે:
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) એ જ્ઞાન, ધ્યાન અને નિઃસ્વાર્થ સેવા દ્વારા આંતરિક રૂપાંતરણ માટે વૈશ્વિક આધ્યાત્મિક અભિયાન છે. 19મી સદીના અંતમાં થયેલ આત્મજ્ઞાની સંત, કવિ, તત્વચિંતક શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપદેશોથી પ્રેરિત, SRMD વિશ્વભરમાં છ ખંડોમાં 206 કેન્દ્રો દ્વારા કાર્યરત છે. પ્રબુદ્ધ ગુરુ, આધ્યાત્મિક આર્ષદ્રષ્ટા અને SRMD ના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી સિદ્ધાંત સાથે અનુભવ અને બુદ્ધિ સાથે હૃદયનો સુમેળ સાધી, વિશ્વભરના લાખો સાધકોને સક્ષમ બનાવી તેમનો આત્મવિકાસ સાધી રહ્યા છે.