Registro
# of People

🌟"ગૃહસ્થ જીવન જ્યારે સદ્‍ગુણોથી શોભિત થાય છે, ત્યારે તે મોક્ષ તરફના પુલ સમાન બની જાય છે." 🌟


તીર્થંકરોએ જન્મ અને મૃત્યુના ચક્રને પાર કરી, તમામ જીવ માટે મુક્તિનો માર્ગ પ્રકાશિત કર્યો અને અનંત કરુણા કરી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, જેમાં સંયમનો માર્ગ (સાધુધર્મ) અને ગૃહસ્થનો માર્ગ (શ્રાવકધર્મ) બન્નેનો સમાવેશ થાય છે.


સંસારનો ત્યાગ કર્યા વિના, એક આદર્શ શ્રાવક અર્થસભર, ઉદ્દેશ્યસભર અને પવિત્ર જીવન જીવે છે. તેનું જીવતર શ્રદ્ધા, આત્મસંયમ અને સત્ય પ્રત્યેના અડગ સમર્પણથી યુક્ત હોય છે. તેનું દરેક કાર્ય પરોપકાર, ઈમાનદારી અને વિવેકની સુગંધથી ભીનું હોય છે. એ જગતમાં રહી કર્તવ્યો કરતો હોવા છતાં તેનું હૃદય આત્મજાગૃતિ માટે ધબકે છે.


આ ઉન્નત જીવનના કેન્દ્રબિંદુએ છે - ૨૧ રૂપાંતરણકારી ગુણો. આ માત્ર પ્રશંસા કરવા યોગ્ય સિદ્ધાંતો નહીં, પણ જીવનમાં ઉતારવા માટેનાં રત્નો છે. આ ગુણો એક શ્રાવકની આત્મસાક્ષાત્કાર યાત્રાનું આધ્યાત્મિક પીઠબળ બને છે.


✨ શું અપેક્ષા રાખી શકાય :


દરેક ગુણની ઊંડી સમજ


દૈનિક જીવનમાં તેને ઉતારવા માટે વ્યવહારુ માર્ગદર્શિકા


નિર્દેશિત ચિંતન અને અર્થપૂર્ણ ચર્ચાઓ


શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક, આર્ષદ્રષ્ટા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના અમૃતબોધથી આંતરિક પ્રેરણા


તમે તમારી આત્મિક યાત્રાની શરૂઆત કરી રહ્યા હો કે એ યાત્રાના આધારને મજબૂત બનાવવા ઇચ્છતા હો - આ રૂપાંતરણકારી શિબિર તમને સ્પષ્ટતા, ઉદ્દેશ્ય અને ધર્મ સાથેનો નવીન સંબંધ આપશે.


🔔 સીમિત બેઠકો ઉપલબ્ધ છે. આજે જ તમારું સ્થાન સુરક્ષિત કરો.


🧘‍♀️ જિજ્ઞાસુ મન સાથે આવો, ગુણોથી ભરેલું હૃદય લઈને જાઓ.


આવો, સાથે ચાલીએ -

ઇરાદાથી અભ્યાસ તરફ, મૂલ્યોથી ગુણ તરફ, ગૃહસ્થથી મુક્ત આત્મા તરફ.

Fecha y Hora
miércoles, 5 de noviembre de 2025
Inicio - 20:00 (Asia/Muscat)
sábado, 8 de noviembre de 2025
Fin - 21:30
Ubicación
Shah Nagardas Hall, Above Shah Nagardas Warehouse, 1st Floor, Wadi Kabir.
Get the direction
Organizador
--Centre--

SRMD - Muscat

Sanjay Mehta
968-92883369
muscat@srmd.org
COMPARTIR

Descubra lo que la gente ve y dice sobre este evento, y únase a la conversación.