ખરેખર, સ્વ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અર્થ શું છે?
વિક્ષેપોથી ભરેલી દુનિયામાં, આ સરળ છતાં ગહન પ્રશ્ન સૌથી પરિવર્તનશીલ આધ્યાત્મિક ગ્રંથોમાંના એક નાટક સમયસારના હૃદયમાં છે.
અન્ય ગ્રંથો કરતા અલગ, નાટક સમયસાર, વ્યવહાર અને નિશ્ચય નય વચ્ચે એક અનોખું સંતુલન જાળવે છે, જે સાધકોને ધાર્મિક ક્રિયાઓ અને વિવિધ સ્વરૂપોથી આગળ વધી યોગ્ય શ્રદ્ધા તરફ દોરી જાય છે: એક એવી આંતરિક જાગૃતિ જેના મૂળમાં આત્મ-અનુભૂતિ હોય.
ઘણા લોકોને આશ્ચર્ય થાય છે કે શું પ્રમાણિક શાસ્ત્રો અને આધ્યાત્મિક અનુભવ બંને અલગ છે? હકીકતમાં, તે બે અલગ દ્રષ્ટિ છે જેના દ્વારા આપણે શીખીએ છીએ અને વિકાસ કરીએ છીએ.તત્વાર્થ સૂત્ર જેવા પ્રમાણિક ગ્રંથો જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો સમજાવે છે, માર્ગને માળખું અને સ્પષ્ટતા આપે છે. પરંતુ સમયસાર જેવા શાસ્ત્રો આપણી દ્રષ્ટિ ભીતર વાળે છે જે આપણને આપણા સાચા સ્વભાવની ઊંડી, જીવંત સમજણ કેળવવામાં મદદ કરે છે.
જેમ મીઠાઈ તેના આકારથી નહીં પરંતુ તેની મીઠાશથી ઓળખાય છે તેમ આત્માની શુદ્ધિ બાહ્ય કાર્યોથી નહીં પરંતુ સ્વભાવદ્રષ્ટિનુ ગ્રહણ કરવાથી થાય છે: સ્વ પર સ્પષ્ટ, અવિચલિત ધ્યાન. જ્યારે વ્યક્તિ આત્માના મહિમાને સમજવા અને અનુભવવાનું શરૂ કરે છે ત્યારે દુન્યવી મહત્વ કોઈ પ્રયત્નો વિના ઓછું થઈ જાય છે અને કુદરતી શુદ્ધતા ઉત્પન્ન થાય છે.
આ શ્રેણી દ્વારા, આપણે સ્વને જોવાનો અર્થ શું છે, યોગ્યતામાં કેવી રીતે વિકાસ કરવો અને આપણી અંદર પહેલેથી જ રહેલા આનંદનો અનુભવ કેવી રીતે કરવો તે શોધીશું - ઇન્દ્રિયોની પાર, વિચારથી પરે.
પૂજ્ય ગુરુદેવશ્રીના પરિવર્તનશીલ, જ્ઞાનથી પ્રેરિત સત્ર ‘સમયસારનો સુર: સ્વભાવદ્રષ્ટિનુ ગ્રહણ’, માટે અમારી સાથે જોડાઓ.
📅 તારીખ:
🕕 સમય:
📍 સ્થાન:
About Us:
Shrimad Rajchandra Mission Dharampur (SRMD) is a global spiritual movement for inner transformation through wisdom, meditation, and selfless service. Inspired by the teachings of late 19th century self-realised saint and poet-philosopher Shrimad Rajchandraji, SRMD operates through 206 centers across six continents. Pujya Gurudevshri Rakeshji, enlightened master, spiritual visionary and founder of SRMD, blends scripture with experience and intellect with emotion to empower millions worldwide.