જ્યારે કોઈ વ્યક્તિ એક આત્મજ્ઞાની સંતને માત્ર એક ઉપદેશક તરીકે નહીં પરંતુ શુદ્ધ પ્રેમ, મુક્તિ અને વિદ્વતાની સાક્ષાત મૂર્તિ રૂપે જાણે છે ત્યારે શું ઘટના ઘટે છે? પૂજ્ય ગુરુદેવશ્રીની ગહન આંતરદૃષ્ટિથી પ્રેરિત આ હૃદયસ્પર્શી સત્રમાં, જ્ઞાની પુરુષની સાચી ઓળખાણ થતા જાગ્રત થતી પરિવર્તનશીલ શક્તિનો અનુભવ કરવા આપને ભાવભર્યું આમંત્રણ છે.
તો શેની રાહ જુઓ છો?
🌸 ભક્તિની નવી દ્રષ્ટિ — સમજીએ કે મહાપુરુષ પ્રત્યેનો પ્રેમ ફક્ત એક લાગણી નથી પરંતુ એક એવો માર્ગ છે જે આપણી ચેતનાને જાગૃત કરે છે, ઉન્નત કરે છે અને શુદ્ધ કરે છે.
🔥 હૃદયસ્પર્શી અનુભૂતિઓ — મહાપુરુષને શ્રદ્ધા અને સમર્પણથી જોતા આપણી અંદર થતા સૂક્ષ્મ પરિવર્તનોનો વિચાર કરીએ.
🌟આધ્યાત્મિક જોડાણ - આત્માને ઉજાગર કરે એવી વાર્તાઓ, આત્મ નિરીક્ષણ અને ધ્યાનમય દૃષ્ટિકોણ દ્વારા દિવ્ય ચેતના સાથેના આપણા સંબંધને વધુ ગાઢ બનાવીએ.
આ સત્ર ભક્તિનો એક એવો દ્વાર છે જે તમને વિધિઓથી આગળ લાવી શાશ્વતનો સ્પર્શે કરાવશે. વિશાળ અને જીવંત એવા દિવ્ય પ્રેમની પ્રાપ્તિ દ્વારા તમારા જીવનનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે.
અમારી સાથે જોડાઓ અને મહાપુરુષની દિવ્ય ઉપસ્થિતિમાં તમારા હૃદયને પીગળતા અનુભવો.
ઓળખાણ કરીએ. પૂજ્ય ભાવ લાવીએ. ઉન્નત થઈએ.
About Us:
Shrimad Rajchandra Mission Dharampur (SRMD) is a global spiritual movement for inner transformation through wisdom, meditation, and selfless service. Inspired by the teachings of late 19th century self-realised saint and poet-philosopher Shrimad Rajchandraji, SRMD operates through 206 centers across six continents. Pujya Gurudevshri Rakeshji, enlightened master, spiritual visionary and founder of SRMD, blends scripture with experience and intellect with emotion to empower millions worldwide.